શું રાત્રે મોડા જમવાથી ખરેખર વજન વધે છે? જાણો વૈજ્ઞાનિક હકીકત અને ગેરમાન્યતાઓ
આપણા સમાજમાં વજન ઘટાડવા અને ફિટનેસ અંગે અનેક માન્યતાઓ પ્રચલિત છે. તેમાંની સૌથી સામાન્ય અને ચર્ચિત માન્યતા એ છે કે, “રાત્રે ૮ વાગ્યા પછી કંઈપણ ખાવાથી તે સીધું ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે અને વજન વધે છે.” ઘણા લોકો વજન ઉતારવાના પ્રયાસમાં રાતનું ભોજન (Dinner) સાવ છોડી દે છે અથવા તો ભૂખ્યા પેટે સૂઈ જાય…
